A study of India's organic products market
DOI:
https://doi.org/10.1956/jge.v22i3.970Keywords:
orgainic farmingAbstract
ભારતના જૈવિક ઉત્પાદનોના બજારનો વિકાસ છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર રીતે વધ્યો છે. આરોગ્ય પ્રત્યે વધતી જાગૃતિ, પર્યાવરણના સંરક્ષણ પ્રત્યેની ચિંતા અને રસાયણ મુક્ત ખોરાકની માંગ વધવાથી જૈવિક ઉત્પાદનો તરફ ગ્રાહકોનું આકર્ષણ વધી રહ્યું છે. કોઈપણ દેશના ટકાઉ વિકાસ માટે તે દેશમાં ઉત્પાદન થતી વસ્તુઓ જૈવિક હોવી જરૂરી છે. આપણા દેશમાં હરિયાળી ક્રાંતિને લીધે જૈવિક ઉત્પાદન ઘટ્યું અને રાસાયણિક ઉત્પાદન ખૂબ વધ્યું. પરંતુ તેના લીધે ખેતી ખર્ચાળ બની અને ઉત્પાદકતામાં લાંબા ગાળે ઘટાડો જોવા મળ્યો. ઉત્પાદનો ઝેર યુક્ત હોવાથી લોકોનો આહાર પણ ઝેર યુક્ત બન્યો. હવે આધુનિક સમયમાં ખાસ કરીને કોરોના કાળ પછીથી જૈવિક ઉત્પાદનો અંગે જાગૃતિ આવી અને લોકો તેનો ઉપયોગ કરતા થયા. ખેડૂતોએ પણ આ ખેતી તરફ પ્રયાણ કર્યું. પરંતુ જૈવિક ઉત્પાદનને વિશિષ્ટ બજાર અને યોગ્ય કિંમતની જરૂરિયાત હતી. આથી તેની વેચાણ વ્યવસ્થાને જાણવા તેના બજારનો અભ્યાસ જરૂરી છે. અહીં વર્ષ 2019 થી 2024 સુધીના સમયગાળામાં જૈવિક પેદાશના બજારમાં આવેલા પરિવર્તનો દર્શાવવામાં આવ્યા છે. જેમાં જૈવિક ઉત્પાદનનો વિસ્તાર, તેના બજારનું કદ, ઘરેલૂ બજાર તથા આંતરરાષ્ટ્રીય બજારમાં તેની માંગની સ્થિતિ દર્શાવવામાં આવી છે. ભારતની જૈવિક પેદાશની માંગ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજાર બન્નેમાં રહે છે.
References
1 CRISIL (2024) Study of indian organic market and export promotion strategy
2 Patel,R. (2017) Methods of research
3 Yadav,E. kumar,M. Pareek,J. and Kumar,M. (2024) Organic farming market: trends and economic analysis
4 Patel,V. Prajapati,M. and Joshi,S. (2017) Adoption of Organic Farming Practices by Organic Farmers in North Gujarat
5 Sankhla,D (2024) Market trends and economic analysis for organic farming
Downloads
Published
Issue
Section
License
Copyright (c) 2026 Journal of Global Economy

This work is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License.